સસ્તા અનાજના વિતરણમાં ગેરરીતિ આચરનાર બે સંચાલકોના પરવાના રદ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર: કોરોના સામેના જંગમાં લોક ડાઉન દરમ્યાન સરકાર દ્રારા રેશનકાર્ડ ધારકોને વિનામૂલ્યે પુરવઠા નું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકા વાધાસણ અને ખેંગારપુરા ગામની સસ્તા અનાજની દુકાનોમાં રેશનકાર્ડ ધારકોને પૂરતો જથ્થો આપવામાં આવતો ન હોઈ તેમજ સસ્તા અનાજની દુકાનોના સંચાલકો દ્રારા ગેરરીતિઓ આચરવા માં આવતી હોવાની બુમરાડો ઉઠતા જિલ્લા પુરવઠા તંત્ર દ્રારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં આ બન્ને દુકાનોમાં ગેરરીતિઓ જણાઈ આવતા જિલ્લા પુરવઠા દ્રારા આ બન્ને દુકાનોના પરવાના એક માસ માટે રદ કરવા માં આવ્યા છે.
કોરોનાના કહેરને લઈ સરકાર દ્વારા સમગ્ર દેશમાં ચાર તબક્કાનું લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. આ સમય ગાળામાં રેશનકાર્ડ ધારકોને વિના મૂલ્યે જીવન જરૂરી ખાદ્ય સામગ્રી મળી રહે તે માટે સરકાર દ્રારા સસ્તા અનાજની દુકાનો પર પુરવઠાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લામાં વિનામૂલ્યે પુરવઠાનાવિતરણમાં ગેરરીતિઓ આચરાઇ હોવાની બુમરાણ મચી હતી. જેમાં થરાદ તાલુકાના વાધાસણ અને ખેંગારપુરા ગામની સસ્તા અનાજની દૂકાનોના સંચાલકો દ્રારા ગરીબોના ભાગના પૂરવઠામાં વ્યાપક ગેરરીતિઓ આચરવામાં આવી હોવાની ગ્રામજનો દ્રારા રજૂઆતો કરવાં આવતા જિલ્લા પુરવઠા તંત્ર દ્રારા નિરીક્ષકોની ટિમ દ્રારા તપાસ હાથ ધરવા મા આવી હતી. જેમાં થરાદ ના વધાસણ ગામે સસ્તા અનાજ ની દુકાન દુકાન ધરાવતો સંચાલક બી.સી ધાંચી અને ખેંગારપુરા ગામની સસ્તા અનાજ ની દુકાનમાં સંચાલક વી.આર યોગીએ લોકડાઉન દરમ્યાન સરકારી જથ્થા ના વિતરણ માં ગેરરીતિઓ આચરી હોવાનું જણાઈ આવતા જિલ્લા પુરવઠા અધિકારી એચ.જે ચાવડાએ આ બન્ને દુકાનદારો ના પરવાના ૩૦-૩૦ દિવસ માટે રદ કરતા સરકારી પુરવઠા ના વિતરણ માં ગેરરીતિ આચરતા સંચાલકો માં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.