અયોધ્યામાં સરયૂ ઘાટથી લઇને હનુમાનગઢી, કાર્યશાલાથી લઇને જન્મભૂમિ સુધી દરેક રસ્તાઓ ગેરૂઆ રંગે રંગાયા
અયોધ્યા જી..! જ્યારે લોકો રામ લલ્લાના આ શહેરનું નામ લે ત્યારે ‘જી’ લગાવે છે. અયોધ્યા અત્યારે ઉત્સવ માટે ગેરૂઆ રંગને ઓઢીને તૈયાર થઇ ગઇ છે. લાડુ બની ગયા છે જે ઘરે ઘરે વહેંચવામા આવશે. મંદિરોમાં સામાન્ય દિવસો કરતા વધુ રોનક છે. મંદિરોમાંથી મંજીરા અને રામધુનની મધુર ધ્વનિ સતત સંભળાયા કરે છે.
જે રસ્તેથી વડાપ્રધાન રામ જન્મભૂમિ પરિસર અને હનુમાનગઢી જશે તેના બન્ને તરફના ભવનો પર પીળા રંગના કલરથી રામકથાના પ્રસંગોના ચિત્ર દોરવામા આવ્યા છે.