થરાદના થરા ગામે પાણીના ટાંકામાંં દવા નાંખી દેવાતાં ચકચાર

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ થરાદ: થરાદ તાલુકાના થરામાં ચકચારી બનેલી ઘટનાની વિગતો આપતાં વજાજી ભીખાજીએ જણાવ્યું હતું કે, અમારા પીવાના ટાંકામા ગઈ રાત્રીના સમયે કોઈ અજાણ્યા શખ્સે દવા નાખી દીધી હતી. સવારે ઘરનાના સભ્યોએ જાગીને મોઢુ ધોવા જતા દુર્ગંધ આવતી હોવાથી મને જાણ કરતાં ટાંકામા જોતાં દવા હોવાની ખાતરી થઈ હતી. જે અંગે પરિવારના અન્ય સદસ્યોને જાણ કરી હતી. જ્યાં આજુ બાજુના લોકોના ટોળા એકઠા થયા હતા. આ અંગે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. પણ ગામના આગેવાનો સાથે ચર્ચા કરી હતી. પરંતુ કોણે ક્યા આશયથી દવા નાખી હશે તેનુ કારણ અકબંધ છે. ગામલોકોએ પણ આ કાર્યની નિંદા કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.