ગુજરાતમાં કુલ ૭,૬૪,૭૭૭ ટેસ્ટમાંથી ૬૧,૪૩૮ પોઝિટિવ, અત્યાર સુધીમાં કુલ ૪૪,૯૦૭ દર્દી ડિસ્ચાર્જ અને ૨,૪૪૧ના મોત
રાજ્યમાં કોરોના સંકટ સતત વધી રહ્યું છે. દરરોજ ૧૧૦૦થી વધુ કેસ સામે આવી રહ્યા છે. જ્યારે ૨૦થી વધુના મોત નિપજ્યા છે. રાજ્યમાં અત્યારસુધીમાં કોવિડ-૧૯ના કુલ ૭,૬૪,૭૭૭ ટેસ્ટ થયા છે. જેમાંથી ૬૧,૪૩૮ કેસ પોઝિટિવ નોંધાયા છે. અત્યારસુધીમાં કુલ ૪૪,૯૦૭ દર્દીઓ ડિસ્ચાર્જ અને મૃત્યુઆંક ૨,૪૪૧એ પહોંચ્યો છે. હાલમાં કુલ ૧૪૦૯૦ એક્ટિવ કેસ છે, જેમાંથી ૮૧ વેન્ટિલેટર પર અને ૧૪૦૦૯ની હાલત સ્થિર છે. ગઈકાલે છેલ્લા ૨૪ કલાકમાં નવા ૧,૧૫૩ નવા કેસ નોંધાયા છે અને ૨૩ દર્દીના મોત થયા છે જ્યારે ૮૩૩ દર્દી સાજા થયા છે.