પીઓપીથી બનેલી મૂર્તિની આગ્રહ રાખતા ભક્તો જુઓ ભગવાનની મૂર્તિઓની હાલત

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ધાનેરા : હિન્દૂ ધર્મમાં વ્રત અને તહેવારનો ખુબ મહિમા છે. જેમાં દશામાં તેમજ ગણપતિ ઉત્સવની ઉજવણી પણ બનાસકાંઠા જિલ્લામાં મોટા પ્રમાણમાં થતી હોય છે. આજની વાત કરીએ તો આજે વહેલી સવારે જ ભક્તો એ સતત ૧૦ દિવસ સુધી દશામાના વ્રતની ઉજવણી કરી મૂર્તિનું વિસર્જન કર્યું છે. ધાનેરા શહેરના મામા બાપજીના મંદિર આગળ આવેલ તળાવ નજીક પણ આજે સવારે વ્રત પૂર્ણ કરી દશામાની મૂર્તિનું વિસર્જન કરાયું છે. પરંતુ જે પ્રમાણે પોતાના ઘરે કે મંદિર પર ૧૦ દિવસ સુધી માતાજીની પૂજા વિધિ કરવામાં આવે છે એ પવિત્ર મૂર્તિઓનું વિસર્જન કર્યા બાદ હાલત કંઈક આવી થાય છે. આજે જયારે સવારે અમારી ટીમ દ્વારા મામા બાપજીના મંદિર આગળ આવેલા તળાવની મુલાકાત લેવાઈ તો ભક્તના ભગવાનની હાલત કંઈક આવી હતી. આમ તો મુખ્યત્વે પીઓપીથી બનેલી મૂર્તિની સામે માટીની બનેલી મૂર્તિનો વ્રત ધારી મહિલા આગ્રહ રાખે તો આજે અને આવતા દિવસોમા આ પ્રમાણે ભગવાનને ગંદગી વચ્ચે રહેવુ ના પડે. પીઓપીથી બનેલી મૂર્તિ મોટી હોય દેખાવમાં સારી હોય પરંતુ પાણીમા ના પીગળતી હોવાથી આ મૂર્તિ રજળે છે. દર વર્ષે સામાજિક સંસ્થા તેમજ પર્યાવરણ પ્રેમીઓ માટીની મૂર્તિ માટે જાગૃતા લાવતા હોય છે. છતાં ભક્તો સમય આવે એટલે ભૂલી જાય છે. જેના કારણે ૧૦ દિવસ જેની પૂજા થાય તે મૂર્તિની વિસર્જન પછી હાલત ખરાબ થાય છે. અમે ભક્તોની ભક્તિ દુભાય તે માટે નહીં પણ ભગવાાનની મૂર્તિની ગરીમા સચવાય તેની જવાબદારી પણ ભક્તોની થાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.