પાલનપુરના વેપારીની હત્યાનું રહસ્ય અકબંધ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : પાલનપુરના વેપારીની ર્નિમમ હત્યા કરાયેલો મૃતદેહ આકેસણ ગામની સિમ માંથી મળી આવ્યો હતો. જોકે, વેપારીનાં મોતને આજે ૧૬ દિવસ વિતવા છતા આરોપીઓની કોઇ ભાળ ન મળતા પરિવારજનો સહીત સમાજ નાં આગેવાનોએ જિલ્લા પોલીસ વડાની કચેરી તેમજ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી આ તપાસ સી.બી.આઇ ને સોપવા અને આરોપીઓને ઝડપી પાડી ન્યાય અપાવવાની માંગ કરી હતી. પાલનપુર તાલુકા પંચાયત સામે કુદરત ગારર્મેન્ટની દુકાન ધરાવતા લક્ષ્મીપુરાના વેપારી દલપતભાઇ ઇશ્વરભાઇ પ્રજાપતિ (રહેવાસી શેરી નં.૪ લક્ષ્મીપુરા, હાલ રહેવાસી નવલપાર્ક સોસાયટી પાલન પુર) કે જેઓની તારથી બાંધી સળગાવી દઈ ક્રૂર હત્યા કરાતાં ચકચાર મચી જવા પામી હતી. જેમનો મૃતદેહ આકેસણ – વેડંચા ગામની સિમમાંથી મળી આવ્યો હતો. આ અંગે મૃતકના પુત્ર સંદિલકુમારે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ર્નિમમ હત્યાને ૧૬ દિવસ વિતવા છતા આરોપીઓની કોઇ ભાળ ન મળતા મૃતકના પરિવારજનો સહીત સમાજના આગેવાનોએ ગુરુવારે જીલ્લા પોલીસવડા ની કચેરી તેમજ જીલ્લા કલેક્ટર ને આવેદનપત્ર પાઠવી આ તપાસ સી.બી.આઇ ને સોપવા અને આરોપીઓને ઝડપી પાડી ન્યાય અપાવવાની માંગ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.