તલોદમાં દશામાંની મૂર્તિ વિસર્જન કરતા યુવક ડુબ્યો, અંતે મોત

સાબરકાંઠા
સાબરકાંઠા

કોરોના મહામારી વચ્ચે આજે સવારે તલોદથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. દશામાંના વ્રત પુર્ણ થતાં જાગરણ કરી સવારે મૂર્તિ વિસર્જન કરતી વેળાએ યુવક ડુબ્યો હોવાની ઘટના સામે આવી છે. જેને લઇ વહેલી સવારે મૂર્તિ વિસર્જન કરવા આવેલા લોકો સહિતના એકઠા થઇ ગયા હતા. આ તરફ હિંમતનગર ફાયર ફાઇટર દ્રારા યુવકના મૃતદેહને બહાર નિકાળવામાં આવ્યો છે. ઘટનાને લઇ પરિવારજનો સહિત સમગ્ર ગામમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.

સાબરકાંઠા જીલ્લાના તલોદ તાલુકાના મહિયલ ગામે દશામાંની મૂર્તિ પધરાવતી વખતે યુવક ડુબ્યો હોવાની ઘટના સામે આવી છે. મહિયર ગામે દશામાંના વ્રત પુર્ણ થતાં યુવક પરિવારજન સાથે મૂર્તિ વિસર્જીત કરવા તળાવ કિનારે ગયો હતો. જ્યાં યુવક ડુબી જવાની ઘટનાને લઇ પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. આ તરફ હિંમતનગર ફાયર ફાઇટર દ્રારા મૃતકની લાશને બહાર નિકાળવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.