મણિપુરમાં ઉગ્રવાદીઓના હુમલામાં આસામ રાઈફલ્સના 3 જવાન શહીદ, 4ની સ્થિતિ ગંભીર;IED બ્લાસ્ટ કરીને ફાયરિંગ કર્યું

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

મણિપુરમાં રાજધાની ઈમ્ફાલથી 100 કિમી દૂર ચંદેલ જિલ્લામાં ઉગ્રવાદીઓના હુમલામાં આસામ રાઈફલ્સના 3 જવાન શહીદ થઈ ગયા હતા. સાથે જ ચાર જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી પ્રમાણે, આ ઉગ્રવાદીઓ એક લોકલ ગ્રુપ પીપલ્સ લિબરેશન આર્મીના હતા.
ભારત-મ્યાંમાર સરહદ પર ઉગ્રવાદી સમૂહ વિરુદ્ધ ઓપરેશન દરમિયાન 4 આસામ રાઈફલ્સના ત્રણ જવાન શહીદ થયા છે. જવાનો પર ઉગ્રવાદીઓએ હુમલો કરી દીધો હતો. આ હુમલામાં 6 જવાન ઘાયલ થઈ ગયા છે, જેમને ઈમ્ફાલ પશ્વિમ જિલ્લાના મિલેટ્રી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.હુમલા પછી સેના ઉગ્રવાદીઓની શોધમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. આ સાથે જ ભારત-મ્યાંમાર સરહદ પર પહેરો પણ વધારી દેવાયો છે.

ઉગ્રવાદીઓએ નવેમ્બર 2019માં પણ ચંદેલ જિલ્લા પાસે જ આસામ રાઈફલ્સના કેમ્પ પર હુમલો કર્યો હતો. કેમ્પ પર બોમ્બ ફેંકવામાં આવ્યા હતા.ત્યારપછી બન્ને બાજુથી ફાયરિંગ થયું હતું.ત્યારપછી ઉગ્રવાદીઓ નાસી ભાગ્યા હતા. આ હુમલામાં સેનાનો એક પણ જવાન ઘાયલ નહોતો થયો.

આઝાદી પછીથી ઉગ્રવાદીઓ સાથેની લડાઈમાં આસામમાં રાઈફલ્સના 750થી વધુ જવાન શહીદ થઈ ચુક્યા છે. માનવામાં આવે છે કે ઉગ્રવાદી સંગઠનોને ચીન પાસેથી હથિયાર અને આર્થિક સહાય મળે છે. જેના દ્વારા ચીનને ઉત્તર-પૂર્વમાં પોતાનું નેટવર્ક જાળવી રાખવામાં મદદ મળે છે.

2020ની શરૂઆતમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ પીપલ્સ લિબરેશન આર્મી વિરુદ્ધ એક ચાર્જશીટ દાખલ કરી હતી. 15 નવેમ્બર 2017માં PLAઅને મણિપુર નાગા પીપલ્સ ફ્રન્ટે ચંદેલ જિલ્લામાં આસામ રાઈફલ્સની પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો કર્યો હતો.જેમાં એક જવાન શહીદ થયો હતો, જ્યારે બે ઉગ્રવાદી માર્યા ગયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.