કોરોના મહામારીમાં દીઓદરમાં ૧૦૦ બેડની હોસ્પીટલ ઉભી કરવા માંગ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ દીઓદર : દિયોદર તાલુકા પ્રમુખ ચિત્રલેખાકુંવરબા પ્રવિણસિંહ વાઘેલાએ તાજેતરમાં દીઓદર પંથમાં કોરોનાની મહામારીના કેસોમાં થઈ રહેલ વધારાની વિકટ પરિસ્થિતિમાં દિયોદર ખાતે ૧૦૦ બેડની કોવિડ હોસ્પીટલ ઉભી કરવા મુખ્યમંત્રીશ્રીને લેખીતમાં રજુઆત કરી છે. અ બાબતે તેઓએ વધુમાં જણાવેલ કે દીઓદર ખાતે ૧૦૦ બેડની કોવિડ હોસ્પીટલ ઉભી કરવામાં આવેલ તો દીઓદર શહેરમાં ઓછામા ઓછા B.A.M.S., B.H.M.S.M.B.B.S કરેલા રપ ડોક્ટરો પ્રેક્ટીસ કરે છે.  આ તમામ ડોક્ટરોને કોવિડ ૧૯ની મહામારી બાબતની Short duration training તાલુકા હેલ્થ ઓફીસ મારફતે આપવામાં આવે તો ડોક્ટરો પણ Mild કેસોનું સારી રીતે નિદાન કરી ટ્રીટમેન્ટ કરી શકે તેવી ક્ષમતા ધરાવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.