ડીસામાં વિવાદમાં ઘેરાયેલા પુરવઠા મામલતદારની બદલી

ગુજરાત
ગુજરાત

રખેવાળ ન્યુઝ ડીસા : ડીસા પૂરવઠા વિભાગમાં મામલદાર તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ મોદી શરૂઆતથી જ વિવાદમાં સપડાયેલા રહ્યા હતા. તાજેતરમાં એક દેવીપુજક મહીલાને રેશનકાર્ડ કાઢી આપવાના બદલામાં તેની પાસે બિભત્સ માંગણી કરતા પીડિત મહિલા દ્વારા પોલીસ મથકે રજુઆત કરવામાં આવતા તેઓ ફરી વિવાદમાં ધેરાયા હતા. ત્યાર બાદ મીડિયામાં તેના અહેવાલ ઉજાગર કરવામાં આવતા વિવાદ વધુ વકર્યો હતો. જેના પગલે જિલ્લા કલેકટર દ્વારા ડીસા તાલુકા પુરવઠા મામલતદાર દિનેશભાઈ મોદી ની બદલી સુઈગામ ખાતે કરવામાં આવતા સાચા અરજદારોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા પુરવઠા વિભાગની સાચી દિશામાં તપાસ થાય તો અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી શકે તેમ છે તેમ અરજદારોએ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.