સાબરકાંઠા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક

સાબરકાંઠા
સાબરકાંઠા

જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં શુક્રવારે સંકલન ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં જન પ્રતિનિધીઓના પ્રશ્નોના જવાબ સાથે કામનું કાયમી નિરાકરણ લાવવા અધિકારીઓને તાકીદ જિલ્લા કલેક્ટરે કરી હતી.

બેઠકમાં હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા અને જિલ્લાના અમલીકરણ અધિકારી ઉપસ્થિત રહીને ધારાસભ્યની રજૂઆત અંગેના પ્રશ્નોના જવાબો આપ્યા હતા. ધારાસભ્યએ ખાણ ખનિજ, ગૌચર જમીન, સહકારી મંડળીઓ, ડી.એલ.આર. નરેગા, ટ્રાફિક નિયમની નેશનલ હાઇવે અંગેના પ્રશ્નો રજૂ કર્યા હતા. બેઠકમાં સી.એમ.ડેસ બોર્ડ સો-દિવસના લક્ષ્યાંક તથા સુજલામ-સુફલામ જળસંચય અંગે બેઠકમાં વિવિધ ચર્ચા કરાઇ હતી. સરકારી બાકી લેણાની વસુલાત કચેરીનું નિરીક્ષણ તથા નિવૃતિ પર ગયેલા કર્માચારીઓના પેન્શન વહેંચણી તકે મળે તે બાબત પર ભાર મુક્યો હતો.

જિલ્લામાં 409 કામો સુજલામ-સુફલામ તથા જિલ્લા પંચાયતની સિંચાઇ વિભાગના કામો જળસંચય અભિયાનમાં હાથ ધરાય અને ખેડૂતોના ખેતરમાં માટીનો ઉપયોગ થાય અને ગામની માટી ગામમાં રહે તે જોવા ઉપર ભાર મુક્યો હતો. જન ભાગીદારીથી કામો હાથ ધરાય અને જે કામ લોકભાગીદારીથી ન થાય તે કામો મનરેગામાં સુનિશ્ચિત કરી તળાવો ઉંડા થાય ચેકડેમ રિપેરીંગ અને નહેરોની સફાઇ થાય તે જોવા અનુરોધ કર્યો હતો અને કામગીરીનું મોનીટરીંગ થાય અને ક્રોસ વેરીફિકેશન કરવાની બાબત ઉપર ભાર મુક્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.