દીઓદર નજીક કેનાલમાં પડી યુવક-યુવતીનો આપઘાત

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ દીઓદર : દીઓદર પંથકમાં પસાર થતી નર્મદા કેનાલ લોકોની જીવાદોરી પુરી પાડી રહી છે. ત્યારે હવે નવયુગલો કે દુખી આત્માઓ આ કેનાલમાં ઝંપલાવી જીવાદોરી ટુંકાવી આત્મહત્યા તરફ વધી રહ્યા હોવાના બનાવોમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.
ગઈકાલે સાંજના સુમારે દીઓદર નજદીક ગોદા ઈસરવા નર્મદા મુખ્ય કેનાલમાં દીઓદરમાં ગુરૂદત્ત સોસાયટી આગળ શાકભાજીની દુકાન ચલાવતા ચેતનભાઈ વેલાભાઈ રાવળ (ઉ.વ.ર૪) તથા તેની થોડા સમય પૂર્વે સગાઈ થયેલી હતી તે ભાભર તરફની ર૦ વર્ષની યુવતી સાથે ઝંપલાવેલ જેની શોધખોળ બાદ આજે સવારે યુવકની લાશ મળી આવેલ. જેના સમાચાર મળતાં બંન્ને પરિવારોમાં ઘેરા શોકની લાગણી વ્યાપેલ. બંન્ને એ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હોવાનું મનાય છે. દીઓદર પંથકમાં આત્મહત્યાના બનાવો વધવા પામતાં અરેરાટી વ્યાપેલ. યુવતીની લાશની શોધખોળ ચાલી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.