![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/07/WhatsApp-Image-2020-07-19-at-8.34.08-PM.jpeg)
થરાદના પી.આઇ. પણ કોરોનાની ઝપટમાં ? પોલીસ અને પત્રકારોમાં દોડધામ મચવા પામી
રખેવાળ ન્યુઝ થરાદ: થરાદના પી.આઇ. જે.બી. ચૌધરીને કોરોના પોઝીટીવ આવતાં રવિવારે સાંજે પાલનપુર કોવીડ હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જો કે પી.આઇ. થોડા દિવસ પહેલાં પંજાબ તપાસમાં ગયા હતા. ત્યારબાદ તેમની તબીયત નરમ ગરમ રહેવા પામી હતી. આથી ત્યાંથી કદાચ કોરોનાથી સંક્રમિત થઇને આવ્યા હોવાનું પણ ચર્ચાસ્પદ બન્યું હતું. જેની વચ્ચે તેમણે થરાદના ખાનગી હોસ્પીટલમાં તપાસ કરાવતાં તબીબે તેમને ચોક્કસ પણે કોરોનાનાં શંકાસ્પદ લક્ષણો હોવાનું જણાવ્યું હતું. આથી પી.આઇ. જે.બી.ચૌધરીને એમ્બ્યુલન્સમાં રવિવારની સાંજે પાલનપુર સારવાર અર્થે ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે પી.આઇ.એ પાંચ દિવસમાં બે પ્રેસ કાૅન્ફરન્સ પણ કરી હતી. આથી પત્રકારો પણ ઉંચાનિચા થતા જોવા મળ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગત પંદર જુલાઇના રોજ થરાદના વિજય બિઝનેશ ચોરી પ્રકરણના ભેદ ઉકેલાયાની આ પ્રેસ કોન્ફરન્સમાં પી.આઇ. તથા તેમની આજુબાજુમાં ઉભેલા બંન્ને પોલીસકર્મીઓ અને બે આરોપીઓ પણ માસ્ક વગર દેખાઇ રહ્યા છે. જેની વચ્ચે થરાદના પી.આઇ.ને કોરોના પોઝીટીવ હોવાની જાણ થતાં તેમનું કવરેજ કરવા ગયેલા પત્રકારોમાં ફફડાટની લાગણી પ્રસરવા પામી હતી.