શિયાળામાં આકાશ વાદળોથી ઘેરાયું, ફરી એકવાર માવઠાંની આશંકા, ખેડૂતોની ચિંતા વધી

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગરમાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. શિયાળામાં આકાશ વાદળોથી ઘેરાયું છે. તો ઠંડા પવનની શરૂઆત થઇ છે જેને લઈને માવઠાની ભીતિ સેવાઈ રહી છે. સમયાંતરે ઠંડો પવન વાતા આકાશ વાદળોથી ઘેરાઈ રહ્યું છે. તો પવનના કારણે ઠંડી પણ વધી રહી છે. જાન્યુઆરી મહિનાના અંતિમ દિવસોમાં બે દિવસ માવઠું થયું હતું. જેને લઈને ખેતરમાં ઘઉંનો ઉભો પાક પવનને લઈને આડા પડી ગયા હતા. ત્યારબાદ કમોસમી વરસાદ વરસ્યો હતો. તો ફરી એકવાર વાતાવરણમાં પલટો આવ્યો છે, જેને લઈને ખેડૂતનો ચિંતામાં વધારો થયો છે.

માવઠાં બાદ થયેલા નુકશાનની ટકાવારી એસડીઆરએફના નિયમમાં નહીં આવતા ખેડૂતોને વળતર મળવા પાત્ર નથી થયા. ત્યારે હવે 12 દિવસ બાદ ફરીવાર માવઠાંની ભીતિને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો વાદળોએ કર્યો છે. તો જિલ્લામાં ઘઉં અને બટાકાનું વધુ વાવેતર છે. ત્યારબાદ ઘાસચારા અને શાકભાજીનું વાવેતર કરવામાં આવેલું છે. તો જિલ્લામાં 1 લાખ 44 હજાર 585 હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું છે.

રવિ સિઝનમાં જિલ્લામાં ધઉં-86099, બટાટા-24661, ઘાસચારો-10402, શાકભાજી-7200, ડુંગળી-87, વરીયાળી-2147, લસણ-38, ધાણા-40, જીરું-19, તમાકું-5243, રાઈ-3604, ચણા-3104, મકાઈ-1942 હેક્ટરમાં વાવેતર થયું છે.ત્યારે હવે તૈયાર થયેલા પાકને લેવાનો સમય થયો છે ત્યારે ફરીવાર વાતાવરણમાં પલટો આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.