સાબરકાંઠા જિલ્લામાં બે દિવસ કમોસમી વરસાદ વરસ્યો

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લામાં બે દિવસ માવઠું થયું હતું.જેને લઈ જિલ્લામાં કેટલાક વિસ્તારમાં ઘઉં આડા પડી ગયા હતા.જેને લઈ સરકાર દ્વારા નુકશાની માટે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી હતી.જેમાં ત્રણ દિવસના પ્રાથમિક સર્વેમાં કોઈ નુકશાન જણાયુ ન હતું.જેમા જિલ્લામાં 29 અને 30 જાન્યુઆરી દરમ્યાન પોશીનામાં 20 મીમી, હિંમતનગરમાં 01 મીમી,ઇડરમાં 11 મીમી,ખેડબ્રહ્મા 07 મીમી,વડાલીમાં 10 મીમી અને વિજયનગરમાં 06 મીમી કમોસમી વરસાદ વરસ્યો હતો.જેને લઈને ખેતરમાં તૈયાર થવા આવેલા ઘઉંનો પાક ઠેરનો ઠેર આડો પડી ગયો હતો.જેમાં માવઠાને લઈને ખેડૂતોએ નુકશાનની માંગણી મામલતદારને આવેદનપત્ર આપી કરી હતી.જેમાં 33 ટકાથી વધુ નુકશાન હોય ત્યારે વળતર મળવાને પાત્ર હોઈ શકે છે.આ અંગે ઇન્ચાર્જ જિલ્લા ખેતીવાડી અધિકારી હર્ષદ પટેલે જણાવ્યું હતું કે ત્રણ દિવસ દરમ્યાન થયેલા પ્રાથમિક સર્વેમાં એસડીઆરએફના નિયમ મુજબ 33 ટકાથી ઓછુ નુકશાન હોઇ તેમાં વળતર પાત્ર નથી.જ્યારે બીજીતરફ આડો પડેલ પાક વાનસ્પતિક વૃદ્ધિની અવસ્થામાં માર્ગદર્શન આપવાથી તેમાં સુધારો થયો છે.જે અંગે જિલ્લામાં ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

 

 

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.