દાંતીવાડા બનાસ નદીના પુલ પર ટેન્કર અને રિક્ષા અથડાતાં બેનાં ઘટના સ્થળે મોત

બનાસકાંઠા
aacident
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ દાંતીવાડા : દાંતીવાડા ડેમના બનાસ નદીના પુલ ગઈ કાલે રાત્રી સમયે ટેન્કર અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિઓના કરૂણ મોત નપિજયાં હતા. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી. ગઈ કાલે રાત્રીના સમયે ડાંગીયા તરફથી દાંતીવાડા તરફ સોરડાપુર ગામે બન્ને જણાઓ માસીની દીકરી બહેને મળવા માટે જઈ રહ્યા હતા. ત્યારે બનાસ નદી પર રિક્ષા નં. જીજે-૮-એટી ૫૨૨૪ દાંતીવાડા કોલોનીથી આગળ બનાસ નદીના પુલ પર પસાર થઇ રહી હતી. ત્યારે સામેથી આવી રહેલા દૂધના ટેન્કર જીજે ૦૮ યુ ૩૨૬૩ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષામાં બેઠેલા બેના કરૂણ મોત નપિજયા હતા. દરમિયાન અકસ્માતની જાણ થતાં મૃતકોના પરિવારજનોને ઘટના સ્થળે આવી પહોંચ્યા હતાં. જયાં તેમના આક્રંદથી ભારે ગમગીની પ્રસરી જવા પામી હતી. ખાનગી સાધન દ્વારા તેમની લાશને દાંતીવાડા પીએચસી ખાતે પીએમ માટે લાવવામાં આવી હતી. દાંતીવાડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.