હિંમતનગર-ઇડર બાયપાસ રોડનું 69 કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગરના શહેરમાં ટ્રાફિક વધુ થવાને લઈને શહેરના મોતીપુરાથી ઇડર બાયપાસ માર્ગ બનાવવામાં આવ્યો હતો. પરંતુ વિકાસને લઈને ટ્રાફિક વધુ થવાને લઈને હાથમતી નદી પરનો 140 મીટર લાંબો બ્રીજ ફોરલેન બનશે. બ્રીજ પણ ફૂટપાથ સાથેનો બનશે. જેને લઈને વાહનચાલકોને ટ્રાફિક સમસ્યાથી છુટકારો મળશે.

હિંમતનગરના મોતીપુરાથી વીરપુર સુધી 8.7 કિમી ચારમાર્ગીય રોડ 69 કરોડના ખર્ચે બનાવવામાં આવે છે. રોડની બંને સાઈડ 6 કિલોમીટર સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈન પણ બનશે, જેના પર ફૂટપાથ પણ બનશે. રોડ પર ભરાતું વરસાદી પાણી ડ્રેનેજમાં થઇ નીકળી જશે. તો ચારમાર્ગીય રોડ પર ટોલ પ્લાઝા પાસે શૌચાલયનું પણ નિર્માણ કરવામાં આવશે. આગામી એકથી દોઢ વર્ષમાં ચારમાર્ગીય રોડ બની જશે. આ 69 કરોડના ચારમાર્ગીય રોડ જેમાં અંદાજીત 15 કરોડનો 140 મીટરનો ફૂટપાથ સાથેનો બ્રીજ પર તૈયાર કરાશે.

હિંમતનગર-ઇડર 8.7 કિમીના બાયપાસ માર્ગને રૂ.69 કરોડના ખર્ચે ચાર માર્ગીય બનવાનો છે. જેને લઈને ટેન્ડરીગ પણ થઇ ગયું છે અને કોન્ટ્રાકટ પણ આપી દેવાયો છે. ત્યારે 8.7 કિમી રોડના બંને તરફ આવતા કાચા અને પાકા 40 દબાણકારોને 15 દિવસમાં દબાણ હટાવવા માટે નોટીસ આપી દેવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.