![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/07/Untitled-71.jpg)
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૮૯ તાલુકામાં હળવો વરસાદ, અંજાર-ગાંધીધામ અને પાટણમાં ૩ ઈંચથી વધુ વરસાદ.
રાજ્યમાં છેલ્લા ૧૧ દિવસથી મેઘ મહેર યથાવત્ છે. સૌથી વધુ સૌરાષ્ટ્રમાં વરસાદ વરસ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૮૯થી વધુ તાલુકામાં હળવો વરસાદ વરસ્યો છે. જેમાં કચ્છના અંજાર અને ગાંધીધામમાં સૌથી વધુ ૩ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. ત્યારબાદ પાટણ, બનાસકાંઠા, ગીર સોમનાથ, સુરત, રાજકોટ, નવસારી, તેમજ જામનગર સહિતના જિલ્લામાં ૧થી ૩ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે અમદાવાદના ધોળકા તાલુકામાં પણ ૧ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. મેઘ મહેરના પગલે લાબાં સમય બાદ અમદાવાદીઓને ઉકળાટથી રાહત મળી હતી.
છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૪૬ તાલુકામાં ૩૦થી ૨૦ મીમી સુધીનો વરસાદ વરસ્યો છે. જેમા રાજકોટના જામકંડોરડામાં ૨૯ મીમી, જેતપુરમાં ૨૨ મીમી, ગોંડલમાં ૨૦ મીમી. જ્યારે સુરતના બારડોલીમાં ૨૯ મીમી, પલસાણામાં ૨૮ મીમી. નર્મદાના દેડિયાપાડામાં ૨૮ મીમી, નાંદોદમાં ૨૮ મીમી વરસાદ વરસ્યો છે. બીજીતરફ ઉત્તર ગુજરાતમાં પણ પાટણ બનાસકાંઠા તેમજ દક્ષિણ ગુજરાતમાં નવસારી સહિતમાં ભારે વરસાદ વરસ્યો છે.