હિંમતનગરમાં પીવાના ગંદા પાણીની નગરપાલિકામાં ફરિયાદ

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગર નગરપાલિકા વિસ્તારના વોર્ડ નં-7માં આવેલા છાપરિયા અને સહકારી જીન વિસ્તારના પીવાનું પાણી ગંદુ આવતું હોવાની રાવને લઈને ત્રણ દિવસ પહેલા સ્થાનિકોએ પાલિકાને ફરિયાદ કરી હતી. જેને લઈને પાલિકા દ્વારા પીવાના પાણીની લાઈન આસપાસ ખોદકામ કરવામાં આવ્યું હતું અને સમસ્યાનો નિકાલ કરાયો હતો, પરંતુ ફરીથી રાયકાનગર અને અનંત વિહાર સોસાયટીના રહીશોએ પાંચથી વધુ બાળકો બીમારીમાં સપડાતા પાલિકામાં ફરી રજૂઆત કરવામાં આવી હતી.

આજે વહેલી સવારે રહીશોની રજૂઆતને લઈને પાલિકા પ્રમુખ યાતીનીબેન મોદી, સ્થાનિક સદસ્ય અને વોટર વર્કસ વિભાગ અનંત વિહાર સોસાયટીમાં પહોંચ્યા હતા. જ્યાં તપાસ કર્યા બાદ પાણીનું સેમ્પલ લીધું હતું. ત્યારબાદ રાયકાનગરમાં પણ વોટર વર્કસ વિભાગે પાણીનું સેમ્પલ લીધું હતું. આ અંગે હિંમતનગર નગર પાલિકાના પ્રમુખ યતીનીબેન મોદીએ જણાવ્યું હતું કે, સ્થાનિકોની ફરિયાદને પગલે સમસ્યાનો ઉકેલ કરી દેવાયો હતો,

પરંતુ રાત્રિ દરમિયાન ફરીથી ફરિયાદ કરતાં આજે સવારે બે સ્થળની મુલાકાત લઈને બે પાણીના સેમ્પલ લીધા છે અને આજે લેબોરેટરીમાં મોકલી દેવામાં આવશે. રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ હાલ જે સ્થળની મુલાકાત લીધી ત્યાં પાણી જોયું તો ચોખ્ખું હતું, પરંતુ હવે રીપોર્ટ આવે ત્યારે નિર્ણય લેવાશે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.