ઈડરમાં આંગણવાડી કેન્દ્ર પાસે ખુલ્લી ગટરોથી ભૂલકાઓના આરોગ્યને જોખમ

અરવલ્લી
અરવલ્લી

સાબરકાંઠાના ઈડરમાં રામદેવપીર ટેકરી મારવાડીવાસમાં આવેલી આંગણવાડી કેન્દ્ર પાસે ખુલ્લી ગંદકીથી ખદબદતી ગંદકીથી નાના બાળકોના આરોગ્યનું જોખમ વધ્યું છે. જે ખુલ્લી ગટરો બંધ કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે. ઈડર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા પાછળ લાખો-કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે અને સ્વચ્છ ઈડર સ્વસ્થ ઈડરની મોટી મોટી વાતો કરવામાં આવે છે. ત્યારે ઈડર નગરપાલિકા વિસ્તારમાં માર્કેટયાર્ડ પાછળ રામદેવપીર ટેકરી મારવાડી વાસ આવેલા છે. અહીં સરકાર દ્વારા વિસ્તારના નાના બાળકો માટે આંગણવાડી કેન્દ્ર શરૂ કરવામાં આવેલી છે. જેની બાજુમાં અને સામે પાણીના નિકાલ માટે નગરપાલિકા દ્વારા ગટર બનાવવામાં આવેલી છે. જે ગટરો સાફસાઈના અભાવે ગંદકીથી ખદબદી રહી છે અને ખુલ્લી ગટરના કારણે બાળકોના જીવનું જોખમ અને નાના ભૂલકાઓના સ્વાસ્થ સાથે ચેડા થઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. જેથી સત્વરે નગરપાલિકા દ્વારા ગટરોમાં ખદબદી રહેલી ગંદકીની સાફસાઈ કરવામાં આવે અને ખુલ્લી ગટરો બંધ કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માગ ઉઠવા પામી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.