યુવક સાથે પત્ની તરીકે રહેતી સગીરાએ કર્યો આપઘાત

ગુજરાત
ગુજરાત

સુરત, કપોદ્રામાં ૧૭ વર્ષની સગીરાએ ઘરમાં ગળેફાંસો ખાઇને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામ્યો છે. આ સગીરા પત્ની તરીકે યુવક સાથે રહેતી હતી. આ બંને વચ્ચે અવારનવાર બોલાચાલી થતી હતી. જેનાથી લાગી આવતા સગીરાએ ગળેફાંસો ખાઇ લીધો હોવાનું યુવક જણાવી રહ્યો હતો. જોકે, સગીરાને ગળેફાંસો ખાધેલી હાલતમાં જોઇને તેણે નીચે ઉતારી હતી. જે બાદ તે ફરાર થઇ ગયો હતો. કપોદ્રા પોલીસે અકસ્માતે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, પરિવારની સંમતિથી બંનેએ લગ્ન કરી લીધા હતા. સગીરાને યુવક પત્નીની જેમ રાખતો હતો. બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતા સગીરાને લાગી આવ્યું હતુ. જેથી કિશોરીએ ફાંસો ખાઇ લીધાનું જણાવ્યું હતુ. તેમજ પોતે કિશોરીને નીચે ઉતાર્યા બાદ તે મૃત જાહેર થતા ડરના કારણે ભાગી ગયો હોવાનું યુવકે જણાવ્યું હતુ. આ અંગેની જાણ કિશોરીના પરિવારને કરાતા તેઓ પણ યુપીથી સુરત આવવા માટે રવાના થયા છે. આવી જ ઘટના અમદાવાદમાં પણ બની છે.

શહેરનાં નિકોલમાં આત્મહત્યાની બે અલગ અલગ ઘટનામાં બની હતી. જેમાં એક સગીરા સહિત બે વ્યકિતઓએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. નિકોલગામ રોડ પર પૂનામામા નગરમાં રહેતી ૧૭ વર્ષની પ્રિયા ગોવિંદભાઈ પટણીએ ગઈ ૩ ડિસેમ્બરે સાંજના સમયે પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ સાથે અન્ય બનાવમાં નિકોલમાં સમાજ નવરચના સોસાયટીમાં રહેતા ૩૫ વર્ષનાં મહેન્દ્રભાઈ ભૂપતભાઈ મકવાણાએ ૪ ડિસેમ્બરના રોજ સાંજના સમયે પોતાના ઘરે છતની પાઈપ સાથે સાડી બાંધીને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.