થરાદના સવપુરા ગામના ખેડૂતોની પાણીના મુદ્દે રજૂઆત
રખેવાળ ન્યુઝ થરાદ: થરાદ તાલુકાના સવપુરા ગામના ખેડૂતોને સરકારના આદેશને એક માસ જેટલો સમય થવા છતાં પાણી ના આપતાં ભારે રોષ વ્પાપી જવા પામ્યો છે.છેલ્લા ત્રણ વર્ષથી પાણી મળતું નથી જેને લઇને ખેડૂતો દ્વારા અનેક વખત રજૂઆતો કરવા છતાં પાણી આપવામાં આવ્યું નથી.જો એક બે દિવસમાં પાણી નહીં આપવામાં આવે તો ખેડૂતો ભુખ હડતાળ અને ઉગ્ર આંદોલન ઉપર ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.