સુપ્રીમ કોર્ટનો નિર્ણય: હૈદરાબાદ કોર્ટમાં પૂર્વ મંત્રી હત્યા કેસની સુનાવણી થશે
આંધ્રપ્રદેશના પૂર્વ મંત્રી વાય એસ વિવેકાનંદ રેડ્ડીની કથિત હત્યા કેસને સુપ્રીમ કોર્ટે આંધ્રપ્રદેશના એક કોર્ટમાંથી હૈદરાબાદની કોર્ટમાં ટ્રાન્સફર કર્યો છે. હવે આ મામલે ત્યાં સુનાવણી કરવામાં આવશે. જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ એમ.એમ.સુંદરેશની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. તેમણે સ્વર્ગસ્થ મંત્રીની પુત્રીની અરજી પર આ આદેશ આપ્યો છે. અરજદાર આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય એસ જગનમોહન રેડ્ડીના પિતરાઈ ભાઈ છે. વર્ષ-2019 માર્ચમાં, કડાપા જિલ્લાના પુલીવેન્દુલામાં ઘરે જ વિવેકાનંદ રેડ્ડીને છરા મારીને હત્યા કરવામાં આવી હતી.