![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/11/Rakhewal-477.jpg)
થરાદની નર્મદાની મુખ્ય નહેરમાં સાબા ગામના આધેડે મોતની છલાંગ લગાવી
થરાદની મુખ્યનહેરમાં શનિવારે થરાદના સાબા ગામના એક આધેડે ઝંપલાવીને મોતને વ્હાલું કર્યું હતું. પાલિકાની ટીમ દ્વારા એક કલાકની જહેમતભરી શોધખોળ બાદ મૃતદેહ શોધીને વાલીવારસોને સોંપાયો હતો. થરાદમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાં શનિવારની સવારના સુમારે બનાસડેરી અને ઢીમા પુલની વચ્ચે થરાદના સાબા ગામના ભાણાજી ભાવાજી પટેલ (ઉં.વ.65) નામના આધેડે અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવી દીધું હતું.
આ બનાવ અંગે થરાદ નગરપાલિકાની ફાયર ટીમને જાણ કરવામાં આવતાં ફાયર ઓફીસર વિરમ રાઠોડ અને સ્ટાફ કેનાલ પર દોડી આવ્યા હતા. અને એકાદ કલાકની લોખંડની બિલાડી વડેની જહેમતભરી શોધખોળ બાદ તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.