![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/11/100-7.png)
અભિયાન અવિરત ચાલુ જ રહેશે સરકારનો તોહફા-એ-રોજગાર :મોદી
રોજગાર મેળા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રમોદીએ મંગળવારે અનેક યુવા-યુવતિઓને નિયુક્તિ પત્ર વિપરિત કર્યા હતા. ગયા બુધવારે જ તેઓએ કહ્યું હતું કે યુવાનોને નોકરીઓ આપવાની પ્રક્રિયા ચાલુ જ રહેશે. સરકારે વર્ષ ૨૦૨૩ ના અંત પહેલા ૧૦ લાખ નોકરીઓ આપવાની યોજના તૈયાર કરી છે. આ સાથે તેઓએ નવ-નિયુક્તોનું સ્વાગત કર્યું હતું અને શુભેચ્છાઓ પાઠવી હતી.
મંગળવારે તેઓએ પોતાને નવી નિયુક્તિઓ માટેના કેન્દ્ર સરકારના પ્રતિનિધિ તરીકે જણાવ્યા હતા અને કહ્યું હતું કે આ અભિયાન અવિરત ચાલુ જ રહેશે.
તેઓએ વધુમાં કહ્યું હતું કે ”પીએલઆઈ દ્વારા ૬૦ લાખ નવા રોજગાર ઉભા થવાની આશા છે અને ”મેઈક-ઈન-ઈંડિયા” તથા ”વૉકલ-કોર-લોકલ” જેવી પહેલ રોજગાર અને ”સ્વરોજગાર”ની તકો ઊભી કરે છે. આજે જે પોતાનો વ્યાપાર કરવા ઈચ્છે છે તેને ”મુદ્રા-લેખ” દ્વારા ઘણી મદદ મળે છે. હજી સુધીમાં ૩૫ કરોડથી પણ વધુ લોન અપાઈ ચુકી છે.”
વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે સરકારી અને બિન-સરકારી ક્ષેત્રમાં નોકરીઓની અપાર સંભાવના બની રહી છે, અને તેની તકો યુવાનોને પોતાનાં જ ગામ અને શહેરોમાં મળી શકે તેમ છે. અમે અમારા ”સ્ટાર્ટ-અપ” યુવાનોને પોતાની પ્રતિભા દર્શાવવાની તક આપી રહ્યા છીએ.
આ ”નિયુક્તિ-પત્રોની” પ્રક્રિયા (પોલ-વાઉન્ડ ગુજરાત અને હિમાચલ પ્રદેશ સિવાય) ૪૫ સ્થળોએ શરૂ કરાઈ છે. તેમાં નોકરીમાં ભર્તી કરવા ઉપરાંત અન્ય શ્રેણીમાં શિક્ષક, વ્યાખ્યતા, નર્સ, નર્સિંગ, ઓફિસર, ડૉકટર, ફાર્મસિસ્ટ, રેડીયોગ્રાફર અને પેરામેડીકલ તથા ટેકનીકલ પદો માટે પણ ભર્તી શરૂ થઈ ચુકી છે. ગૃહમંત્રાલયે વિભિન્ન સશસ્ત્ર દળોમાં પણ ભર્તી શરૂ કરી દીધી છે.