સાબરકાંઠામાં રવિ સીઝનમાં સિંચાઈ માટે હાથમતી જળાશયમાંથી પાણી છોડાયું

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જીલ્લામાં આ વર્ષે ચોમાસામાં સારા વરસાદને લઈને જળાશયોમાં પાણીની આવક થઇ હતી. જેથી આ વખત રવિ સીઝનમાં સિંચાઈ માટે હાથમતી જળાશયમાંથી ‘અ’ ઝોન બાદ હવે ‘બ’ અને ‘ક’ ઝોનના ત્રણ તાલુકાના 49 ગામોના ખેડૂતો માટે કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે. પાંચ પાણ પૈકીનું પ્રથમ પાણ આજે રવિવારથી શરુ કરાયું છે. મુખ્ય, માયનોર, સબ માયનોર કેનાલ થકી ખેડૂતોને પાણી મળશે.

સાબરકાંઠા જીલ્લામાં આ વર્ષે ચોમાસામાં સારા વરસાદને લઈને જળાશયોમાં પાણીની આવક થઇ હતી અને ત્રણ જળાશયો 100 ટકા ભરાયા છે તો હાથમતી જળાશય સતત બીજા વર્ષે 100 ટકા ભરાયો છે. રવિ સીઝનમાં સિંચાઈ માટે પાંચ પાણ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને લઈને હાથમતી જળાશયમાંથી ‘અ’ બાદ હવે ‘બ’ અને ‘ક’ ઝોનના ત્રણ તાલુકાના 49 ગામોના ખેડૂતો માટે કેનાલમાં 200 કયુસેક પાણી આજથી છોડવામાં આવ્યું છે. તો જેને લઈને ત્રણ તાલુકામાં ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ મળશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.