8 મજૂરોના મૃતદેહ મળ્યા, તમામ બિહારના રહેવાસી મિઝોરમમાં: પથ્થરની ખાણ ધસી પડી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

મિઝોરમમાં સોમવારે એક પથ્થરની ખાણ ધરાશાયી થઈ ગઈ હતી જેમાં 12 મજૂરો ફસાયા હતા. અત્યાર સુધીમાં 8 મૃતદેહો મળી આવ્યા છે અને ત્રણ લોકોના શરીરના કેટલાક અંગો મળી આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, તમામ બિહારના રહેવાસી છે. SDRF, BSF અને આસામ રાઈફલ્સની ટીમ ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. હજુ સુધી મૃતદેહોની ઓળખ થઈ શકી નથી. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ એક મોટી પથ્થરની ખાણ છે. ખાણકામમાં રોકાયેલા 12 મજૂરો ફસાઈ ગયા હતા. આ અકસ્માત હનાથિયાલ જિલ્લામાં થયો હતો. અચાનક થયેલા અકસ્માતને કારણે ત્યાં હાજર મજૂરોને ભાગવાની તક પણ મળી ન હતી. સમાચાર મળતાં જ આસપાસના ગામોના લોકો પહોંચી ગયા અને ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. એસડીઆરએફ, બીએસએફ અને આસામ રાઈફલ્સની ટીમો હજુ પણ રાહત અને બચાવમાં લાગેલી છે.આ ખાણનો કોન્ટ્રાક્ટ ABCI ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ સાથે છે અને છેલ્લા અઢી વર્ષથી અહીં ખાણકામનું કામ ચાલી રહ્યું હતું. સ્થાનિક તંત્ર પણ સ્થળ પર હાજર છે અને કામદારોને ખાણમાંથી બહાર કાઢવાના પ્રયત્નો ચાલુ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.