ભારે તણાવમાં હતો મારો દોસ્ત સિદ્ધાંત વીર સૂર્યવંશી

ફિલ્મી દુનિયા

મુંબઈ, મનોરંજન જગતમાંથી એક આઘાતજનક સમાચાર આવી રહ્યા છે. વધુ એક ટીવી એક્ટરનું નાની વયે અવસાન થયું છે. એક્ટર સિદ્ધાંત વીર સૂર્યવંશીનું ૪૬ વર્ષની વયે નિધન થયું છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, સિદ્ધાંત જીમમાં વર્કઆઉટ કરી રહ્યો હતો ત્યારે અચાનક ઢળી પડ્યો હતો. જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો અને ડૉક્ટરોએ તેને ૪૫ મિનિટ સુધી જીવિત કરવાની કોશિશ કરી હતી. પરંતુ તેનો જીવ બચાવી ના શકાયો. પ્રાથમિક માહિતી અનુસાર, હાર્ટ અટેકના કારણે સિદ્ધાંતનું અવસાન થયું છે.

ત્યારે હવે સિદ્ધાંતના એક દોસ્તના જણાવ્યા મુજબ, છેલ્લાં ઘણાં સમયથી સિદ્ધાંત તણાવમાં હતો. સિદ્ધાંતના દોસ્ત વિશ્વપ્રીત કૌરના જણાવ્યા મુજબ, સિદ્ધાંત છેલ્લાં ઘણાં સમયથી તણાવમાં હતો. તેણે એવું પણ કહ્યું કે, આજકાલ ઘણાં એક્ટર તણાવમાં રહે છે અને સિદ્ધાંત ઘણો ટેન્શનમાં હતો. આ શહેર ઘણું ચિંતાજનક છે. તેણે એવું પણ જણાવ્યું કે, સિદ્ધાંત મારો ઘણો સારો દોસ્ત હતો. મેં તેને કહ્યું હતું કે યોગ કરો કે જેથી તણાવ ઓછો થશે. સિદ્ધાંતના મોતના સમાચાર સાંભળીને ચિંતામાં છું. તે ફિટ હતો છતાં તેનું આ રીતે મોત થયું તે ચિંતાજનક છે. તે ઘણો હસમુખ સ્વભાવનો હતો અને હંમેશાં બધાને હસાવતો રહેતો હતો.

સિદ્ધાંતે થોડા સમય પહેલા જ પોતાનું નામ આનંદ સૂર્યવંશીમાંથી બદલીને સિદ્ધાંત વીર સૂર્યવંશી કર્યું હતું. સિદ્ધાંતે સીરિયલ ‘કુસુમ’ દ્વારા ટીવી પર ડેબ્યૂ કર્યું હતું. જે બાદ તે ‘કૃષ્ણા અર્જુન’, ‘કસૌટી જિંદગી કી’, ‘ઝમીન સે આસમાન તક’, ‘વિરુદ્ધ’, ‘ભાગ્ય વિધાતા’, ‘ક્યા દિલ મેં હૈ’ વગેરે સીરિયલોમાં જાેવા મળ્યો હતો. તેણે સીરિયલ ‘ગૃહસ્થી’માં ઋષિનો લીડ રોલ કર્યો હતો. સિદ્ધાંત સૂર્યવંશીને ટીવી શો ‘મમતા’માં અક્ષયના રોલ દ્વારા ખાસ્સી લોકપ્રિયતા પ્રાપ્ત થઈ હતી. ફેબ્રુઆરી ૨૦૨૦માં સિદ્‌ઘાંત ટીવી સીરિયલ ‘ક્યૂં રિશ્તોં મેં કટ્ટી બટ્ટી’માં એક્ટ્રેસ નેહા મર્દાની ઓપોઝિટ જાેવા મળ્યો હતો.

આ સિવાય તે ટીવી સીરિયલ ‘ઝિદ્દી દિલ માને ના’માં પણ મહત્વના રોલમાં જાેવા મળ્યો હતો. તાજેતરમાં જ તે કંટ્રોલ રૂમમાં મહત્વના પાત્રમાં જાેવા મળ્યો હતો. સિદ્ધાંત બે બાળકોનો પિતા હતો. પહેલા લગ્ન થકી તેની એક દીકરી છે જેનું નામ ડિઝા સૂર્યવંશી છે. ૨૦૧૫માં સિદ્ધાંતે પહેલી પત્ની ઈરા સાથે ડિવોર્સ લીધા હતા. જે બાદ તેણે મોડલ અલેઝિયા સાથે લગ્ન કર્યા હતા.

અલેઝિયાને પણ પૂર્વ લગ્ન દ્વારા એક દીકરો છે અને તેનું નામ માર્ક છે. આ દીકરો સિદ્ધાંત અને અલેઝિયા સાથે જ રહે છે. સિદ્ધાંતના એકાએક નિધનથી પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે. તેના ફેન્સ અને મિત્રો પણ આ ખબરથી આઘાતમાં છે. ફિલ્મો અને ટીવી પર એક લોકપ્રિય એક્ટર હોવાથી તેની નેથવર્થ ૫થી ૧૦ કરોડની હોવાનું જાણવા મળે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.