![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/07/નગરમાં-સેના.jpg)
શ્રીનગરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણમાં એક આતંકી ઠાર, એક CRPFના જવાન શહીદ.
જમ્મુ-કાશ્મીરના પાટનગર શ્રીનગરમાં આતંકીઓ અને સેના વચ્ચે અથડામણમાં એક આતંકીને ઠાર કરવામાં આવ્યો છે, જ્યારે એક CRPFજવાન શહીદ થયા છે. અહીં માલબાગના વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળ્યા પછી સેનાએ આ વિસ્તાર કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. શ્રીનગરમાં છેલ્લા ૪૫ દિવસમાં આ ત્રીજી અથડામણ છે.
ડીજીપી દિલબાગ સિંહે જણાવ્યું કે, પોલીસને વિશેષ સુચના મળી હતી. SOG અને CRPFએ સાથે મળીને ઓપરેશન શરૂ કર્યું હતું. અત્યારે આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.