સીબીઆઇને સોંપવા સુપ્રીમમાં માગ ની તપાસ: મોરબી પુલ હોનારત

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

મોરબીની દુર્ઘટનામાં માર્યા ગયેલા પીડિતોના એક સગા દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેમાં તેઓએ માગણી કરી છે કે આ સમગ્ર મામલાની તપાસ પોલીસ પાસેથી લઇને સીબીઆઇને સોપવામાં આવે. કેમ કે હાલ વિધાનસભાની ચૂંટણીનો સમય હોવાથી પોલીસ યોગ્ય દિશામાં તપાસ નહીં કરે. અમદાવાદના રહેવાસી દિલિપભાઇ ચાવડાએ સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીમાં સીબીઆઇ તપાસની માગણી કરી હતી. તેઓએ દાવો કર્યો હતો કે મારા બે સગા આ સમગ્ર ઘટનામાં માર્યા ગયા છે. આ દુર્ઘટના પાછળનું કારણ ખાનગી કંપની અને સરકારની નબળાઇ છે. દીલીપભાઇ ચાવડા વતી વકીલ ઉત્કર્શ દવેએ દલીલ કરી હતી કે પીડિતોના પરિવારને રાજ્ય સરકાર દ્વારા માત્ર બે લાખ રૂપિયાની જ સહાયની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા જે સહાયની જાહેરાત કરી છે તે બહુ જ નાની રકમ છે. જ્યારે રમત ગમત વગેરેમાં રાજ્ય સરકાર દ્વારા મોટી રકમ આપવામાં આવે છે. તો પછી આ પ્રકારની ઘટનામાં મૃત્યુ પામેલાને પણ પુરતુ વળતર આપવું જોઇએ. પોલીસ દ્વારા જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમાં કોઇને પણ આરોપી તરીકે નથી દર્શાવવામાં આવ્યા. આરોપીઓને બચાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. ચૂંટણીનો સમય નજીક છે એવામાં રાજ્ય સરકાર દ્વારા યોગ્ય દિશામાં તપાસ કરવામાં આવે તેની શક્યતાઓ બહુ જ ઓછી છે. આ અરજીમાં માગણી કરવામાં આવી છે કે સીબીઆઇને તપાસ સોપવામા આવે અથવા તો સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની આગેવાનીમાં કમિટીની રચના કરવામાં આવે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.