![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/11/Rakhewal-58.jpg)
પાટણના પ્રસિદ્ધ વિજય હનુમાન સંન્યાસ આશ્રમ ખાતે ગુરૂ ભક્તિના ભજનનો કાર્યક્રમ યોજાયો
ધર્મની નગરી પાટણ શહેરમાં અનેક દેવી દેવતાઓ નાં મંદિરો ભક્તજનો નાં આસ્થાના પ્રતીક સમાન શોભાયમાન બની રહ્યા છે ત્યારે શહેરના મીરા દરવાજા નજીક આવેલ પ્રસિદ્ધ શ્રી વિજય હનુમાન સંન્યાસ આશ્રમ ખાતે ગુરૂવારની પવિત્ર રાત્રીએ દિવ્ય સંતવાણી કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.આ ભક્તિ સભર સંતવાણી નો પ્રારંભ મહંત રાજેન્દ્રાનંદ ગીરીજી અને વસંતગીરીજી નાં સાનિધ્યમા ગુરૂ કલ્યાણાનંદ ગીરીજી ની કૃપાથી દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો.
વિજય હનુમાન સંન્યાસ આશ્રમ ખાતે આયોજિત આ દિવ્ય ભજન સંતવાણી માં પાટણના જાણીતા ભજન કલાકાર આત્મારામભાઈ નાયી, દિનેશભાઈ દરજી, રસીકભાઈ સાધુ એ ગુરૂ ભક્તિના ભજનોની તબલા નાં તરવૈયા અરવિંદભાઈ બારોટ અને મંજીરા ના માણીગર દિલીપ સાધુ ના સથવારે રમઝટ જમાવી હતી.
ગુરૂ ભક્તિના ભજન પ્રસંગે પાટણ જગદીશ મંદિર ટ્રસ્ટ નાં મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાયૅ, કાલિકા માતાજી મંદિર નાં પુજારી અશોકભાઈ વ્યાસ, અશ્વિનભાઈ જોશી,અમૃતલાલ મહેતા, અશોકભાઈ ત્રિવેદી, યશપાલ સ્વામી,અંબાલાલ પટેલ સહિતના ભજન રસીકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અશોક રાજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે ઉપસ્થિત સૌ ભજન રસીક ભક્તો નું વિજય હનુમાન સંન્યાસ આશ્રમ નાં મહંતો દ્વારા સ્વાગત સન્માન કરી રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા.