ભારતની ભ્રષ્ટાચાર ઇન્ડેક્સમાં સ્થિતિ સુધારવા સુપ્રીમે ની માગ ફગાવી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

વૈશ્વિક ભ્રષ્ટાચાર મામલે ભારતની સ્થિતિ પણ અન્ય દેશોની જેમ ખરાબ બતાવવામાં આવી છે. વૈશ્વિક ભ્રષ્ટાચાર ઇન્ડેક્સમાં ભારતની જે ખરાબ સ્થિતિ દર્શાવવામાં આવી છે તેને સુધારવાની માગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. જોકે સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવી દીધી છે. વૈશ્વિક ભ્રષ્ટાચાર ઇન્ડેક્સમાં ૧૮૦ દેશોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં ભારતને ૮૫મું સ્થાન આપવામાં આવ્યું હતું. આ પરિસ્થિતિ વચ્ચે ભ્રષ્ટાચાર ખતમ કરવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારોને આદેશ આપવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી થઇ હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ યૂયૂ લલિતની બેંચે કહ્યું હતું કે ભ્રષ્ટાચાર એક મુદ્દો છે અને અમે ભ્રષ્ટાચારને કેવી રીતે ખતમ કરીએ? અમે લો કમિશનને આ અંગે વિચાર કરવા કહી શકીએ પણ પછી શું? જે બાદ અરજદાર અશ્વિની ઉપાધ્યાયે કહ્યું હતું કે ભ્રષ્ટાચારના લગભગ બે લાખથી વધુ મામલા છે. જે મુદ્દે આયોગ પોતાનો રિપોર્ટ દાખલ કરે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ મામલો કાયદાનો છે. તેથી અમે આર્ટિકલ ૩૨ હેઠળ આ મામલાની સુનાવણી ન કરી શકીએ. જોકે કોર્ટે સાથે એમ પણ કહ્યું હતું કે અરજદાર ઇચ્છે તો આ અંગે આયોગ સમક્ષ પોતાનો પક્ષ રાખી શકે છે. દરમિયાન અરજદારે એવી પણ માગણી કરી હતી કે ભ્રષ્ટાચારને અટકાવવા માટે વિશેષ સમિતિઓની રચના કરવી જોઇએ. જેની મદદથી કાળુ નાણુ, લાંચ વગેરેને ખતમ કરી શકાય.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.