હિંમતનગરમાં મકાનની બે દીવાલ વચ્ચે ગાય ફસાઈ

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગર નજીક આવેલe પાણપુર પાટિયા વિસ્તારની ખુશ્બુ સોસાયટીમાં મકાનની બે દીવાલ વચ્ચે ફસાઈ ગયેલી ગાયને જીવદયા પ્રેમીઓએ અઢી કલાકની મહેનત બાદ બાચાવી. ગાયને બચાવી બહાર કાઢ્યા બાદ મેડીકલ ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી. ત્યારબાદ ગાય ઉભી થઈને ચાલવા લાગી હતી.

હિંમતનગર-વિજાપુર રોડ પર આવેલા પાણપુર પાટિયા વિસ્તારની ખુશ્બુ સોસાયટીમાં બે મકાનની દીવાલ વચ્ચે એક ગાય ફસાઈ ગઈ હોવાનો કોલ લાલા દેસાઈ દ્વારા જીવદયા પ્રેમી મિતુલ વ્યાસને કરવામાં આવ્યો હતો. મિતુલ વ્યાસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગાયની હાલત ગંભીર જણાતાં હિંમતનગર ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી. ફાયર બ્રિગેડ ટીમ તેમજ 1962ના પાઇલોટ અજીઝ મેમણે તાત્કાલિક આવી મહેનત કરવા છતાં પણ ગાય નીકળી ન હતી.

ત્યારબાદ મિતુલ વ્યાસ દ્વારા ક્રેન બોલાવી ક્રેનની મદદથી ગાય બહાર કાઢવામાં આવી હતી. બીજી તરફ દીપ દેસાઈને બોલાવી જરૂરી દવા કરાવવામાં આવી હતી. ગાયને બચાવવા માટે જીવદયા પ્રેમી મિતુલ વ્યાસ, કુમાર ભાટ, લાલા દેસાઈ મુકેશભાઈ દેસાઈ, જીતુ દેસાઈ(ખાભલીયા) દિપક સુથાર તેમજ 1962ના પાઇલેટ અજીઝ મેમણ, ફાયર બ્રિગેડ સ્ટાફ તથા દીપ દેસાઈએ અઢી કલાક મહેનત કરી હતી અને ગાયને બચાવી બહાર કાઢી મેડીકલ ટ્રીટમેન્ટ આપી હતી. ત્યારબાદ ગાય ઉભી થઈને ચાલવા લાગી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.