![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/11/Rakhewal-7.jpg)
થરાદમાં કોંગ્રસ અગ્રણીઓ દ્વારા મોરબી હોનારતમાં મોતને ભેટેલા લોકો માટે બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અપાઈ
થરાદ તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ અલ્પેશ જોષીએ જણાવ્યું હતું કે, સોમવારે સાંજે હનુમાન ગોળઈ બજારથી, ત્રણ રસ્તા રેફરલ થરાદ સુધી કેંડલ માર્ચ યોજાઇ હતી. પ્રદેશ કોંગ્રેસ મંત્રી ડીડી રાજપુત, પાલિકાના પુર્વ પ્રમુખ પથુ રાજપુત, પ્રવિણ વરણ સહિત કોંગ્રેસના ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા બે મિનીટનું મૌન પાળી મૃતકોના આત્માની શાંતી અને તેમના પરિવાર પર આવી પડેલી આફતમાં સહન કરવાની ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી.