વિસનગરમાં મોરબીની ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલી અર્પણ કરવા કાર્યક્રમનું આયોજન

મહેસાણા
મહેસાણા

વિસનગર શહેરમાં આવેલ ત્રણ દરવાજા ટાવર ચોક ખાતે મોરબીમાં બનેલી દુર્ઘટનામાં જે લોકોના મૃત્યુ થયા છે, તેમની આત્માને શાંતિ પહોંચે તે માટે ભારતીય જનતા પાર્ટી શહેર અને તાલુકા દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જેમાં મીણબતી પ્રગટાવી બે મિનિટનું મૌન પાળીને ભાજપના કાર્યકરોએ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

મોરબીની દુર્ઘટનામાં કેટલાય લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. તો, કેટલાય લોકોના જીવ પણ ગયા છે. તેથી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની આત્માને ભગવાન શાંતિ અર્પે અને તેમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે તે માટે શ્રદ્ધાંજલિ કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેર અને તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હાજર રહ્યાં હતાં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.