![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/07/Untitled-8.jpg)
રાજ્યની તમામ યુનિવર્સિટીની અંતિમ વર્ષની પરીક્ષા લેવાશે, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જાહેરાત.
આજે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યમાં તમામ યુનિવસિર્ટીમાં અંતિમ વર્ષની પરીક્ષા યોજવાનો નિર્ણય લેવાયો હતો. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પરીક્ષા યોજવાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, કોરોનાના કપરાં કાળમાં આવતી કાલથી ગુજરાત ટેક્નોલોજીક યુનિવર્સિટી (GTU)ની પરીક્ષા યોજાવાની છે.
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ વર્ષે તમામ યુનિવર્સિટીની છેલ્લા વર્ષની પરીક્ષા યોજવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. સાથે જ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે વિકલ્પો પણ આપ્યા હતા. જેમાં ઓનલાઈન, ઓફલાઈન અને બંને રીતે પરીક્ષા ન આપી શકે તો અલગથી યોજાનાર પરીક્ષામાં વિદ્યાર્થી બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે તેવી વ્યવસ્થા ઊભી કરી હતી.
આવતી કાલથી GTUની છેલ્લા વર્ષની પરીક્ષાઓનો પ્રારંભ થશે. ૩૫૦ જેટલા સેન્ટર ખાતે પરીક્ષા લેવામાં આવશે. કોરોનાને પગલે આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલી સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સેનિટાઈઝરની વ્યવસ્થા સાથે પરીક્ષા યોજાશે. સાથે જ પોલીસ રક્ષણ સાથે પરીક્ષા લેવામાં આવશે.
પરીક્ષા લેવાના નિર્ણયની સાથે સાથે
રાજ્યની તમામ યુનિવર્સિટીઓ દ્વારા છેલ્લા વર્ષની પરીક્ષા સમયપત્રક મુજબ લેવાશે
GTUની પરીક્ષાનો આવતીકાલથી પ્રારંભ થશે
પરીક્ષા લેવા માટે વિદ્યાર્થીઓ પાસે પ્રતિભાવ માંગવામાં આવ્યા હતા, જેમાં ૫૪ હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા સંમત થયા હતા. જ્યારે ૯૦૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાની ના પાડી હતી
પરીક્ષા લેવા માટે વિદ્યાર્થીઓને ત્રણ વિકલ્પો આપ્યા હતા. ઓનલાઇન, ઓફલાઇન અને વધારાની તક.
પરીક્ષા કેન્દ્રો ઉપર સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત માસ્ક પહેરવું અને સેનિટાઈઝરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
GTUની પરીક્ષા ૩૫૦ કેન્દ્રો ઉપર લેવામાં આવશે.
વિદ્યાર્થીઓની ચોઈસ મુજબ પરીક્ષા લેવાથી તાલુકામાં કેન્દ્રો ઊભા કરીને પણ પરીક્ષા લેવાશે.
GTUની પરીક્ષા પછી બાકીની સરકારી તમામ યુનિવર્સિટીઓની પરીક્ષા રાબેતા મુજબ નક્કી થયેલા ટાઈમ ટેબલ મુજબ લેવામાં આવશે
છેલ્લા વર્ષની પરીક્ષા લેવાનો હાલ નિર્ણય સરકારે કર્યો છે.
સરદાર પટેલ યુનિવર્સિટી અને ટીચર્સ યુનિવર્સિટી ગાંધીનગર રેલી પરીક્ષાની સફળતા બાદ સરકારે આ નિર્ણય કર્યો છે.