હિંમતનગર માર્કેટમાં મગફળીની ખરીદી નવ દિવસ બંધ

સાબરકાંઠા
સાબરકાંઠા

દીપાવલીના પર્વનો પ્રારંભ થયો છે ત્યારે, હિમતનગરના માર્કેટયાર્ડ અને કોટન માર્કેટમાં ખેત પેદાશોનું ખરીદ વેચાણ આજથી બંધ થયું છે. આવનારા દસ દિવસ બાદ ૩૧ ઓક્ટોબરે માર્કેટયાર્ડમાં ખરીદી શરુ થશે તેવું માર્કેટયાર્ડ દ્વારા જાહેર સુચના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહીં છે.

આ અંગે હિમતનગર માર્કેટયાર્ડના ચેરમેન જેઠાભાઈ પટેલ, ડિરેક્ટરો અને મેનેજર મણીભાઈ પટેલે જણાવ્યું હતું કે, હિમતનગર માર્કેટયાર્ડમાં એક મહિનાથી મગફળીની ખરીદી શરુ કરવામાં આવી હતી અને ગુજરાતમાં સૌથી વધુ ભાવ પણ હિમતનગર માર્કેટયાર્ડમાં મળે છે. જેને લઈને જીલ્લામાંથી જ નહિ પરંતુ આજુબાજુના જીલ્લામાંથી ખેડૂતો મગફળી વેચાણ કરવા માટે ૨૪ કલાક પહેલા માર્કેટયાર્ડમાં વાહનોની લાઈનો લગાવી દે છે.

તો ખરીદીના અંતિમ દિવસે એટલે કે, શુક્રવારે હિમતનગર માર્કેટયાર્ડમાં મગફળીની 17,885 બોરીની આવક થઇ હતી. તો 1100થી 1670 સુધીનો ભાવ પડ્યો હતો. અત્યાર સુધીમાં અંદાજે સાડા ત્રણ લાખ મગફળીની બોરીની આવક થઇ છે અને આજથી મગફળી સહીતની ખેત પેદાશનું ખરીદ વેચાણ બંધ કરવામાં આવ્યું છે. 22 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર સુધી હિમતનગરના માર્કેટયાર્ડ અને કોટન માર્કેટમાં આજથી ખેત પેદાશોની ખરીદી અને વેચાણ બંધ કરવામાં આવ્યું છે. ત્યારે આવનારી ૩૧ ઓક્ટોબરથી શુભ મૂહૂર્તમાં ખેત પેદાશોનું ખરીદ વેચાણ શરુ કરવામાં આવશે તેવું ખેડૂતોને જણાવવામાં આવ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.