PM આજે સાંજે 4 વાગે રાષ્ટ્રજોગ સંબોધન કરશે, કોરોનાના સમયમાં આ છઠ્ઠુ સંબોધન હશે
દેશમાં કોરોના વાયરસના કેસની રફતાર થોભવાનું નામ લઇ રહ્યું નથી અને લદ્દાખમાં ચીનની સાથે ચાલી રહેલા વિવાદની વચ્ચે આજે એક વખત ફરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા સોમવારની રાત્રે માહિતી આપવામાં આવી છે તે મુજબ મંગળવાર સાંજે 4 વાગ્યે પ્રધાનમંત્રી રાષ્ટ્રને સંબોધશે. હવે દરેક લોકોની નજર એ વાત પર છે કે પીએમ પોતાના સંબોધનમાં શું સંદેશ આપશે. પીએમ મોદી આની પહેલાં પણ કોરોના સંકટ દરમ્યાન દેશને સંબોધિત કરી ચૂકયા છે.