બનાસકાંઠામાં વર્ગ-ત્રણ અને ચારના આશ્રિત પરિવારોએ આવેદન પાઠવ્યું
રાજયના વહીવટી વિભાગમાં ચાલુ ફરજે મરણ પામનારા વર્ગ-ત્રણ અને ચાર સંવર્ગના કર્મચારીઓના આશ્રિતોને રહેમરાહે નોકરી આપવાની માંગ સાથે પાલનપુર કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં કર્મચારીના મરણ બાદ અપાતી ઉચ્ચક નાણાંકીય સહાય બંધ કરી રહેમરાહે નોકરી પુનઃ ચાલુ કરવા માંગ કરાઈ હતી. રાજ્યમાં વર્ષો અગાઉ વર્ગ ત્રણ અને ચારના કર્મચારીનું ચાલુ ફરજે મરણ પામે તો તેના પરિવારના આશ્રિતને રહેમરાહે નોકરી આપવામાં આવતી હતી. પરંતુ સરકાર દ્રારા વખતોવખત સુધારા કરી રહેમરાહે નોકરી બંધ કરી કર્મચારીના મરણના બનાવનાં મૃતકના આશ્રિતના ઉચ્ચક નાણાંકીય સહાય ચુકવવામાં આવે છે જેના બનાસકાંઠા જિલ્લાના વર્ગ ત્રણ અને ચારના આશ્રિતઓએ વિરોધ કરીને રહેમરાહે નોકરી પુનઃ ચાલુ કરવા જિલ્લા કલેકટર ની કચેરીએ આવેદનપત્ર પાઠવવા આવ્યું હતું. જેમાં અન્ય રાજ્યોમાં રહેમરાહે નોકરી આપવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતમાં કર્મચારીના મરણ બાદ અપાતી ઉચ્ચક નાણાંકીય સહાય બંધ કરી બંધ કરાયેલા રહેમ રહે નોકરી પુનઃ ચાલુ કરવાની અને આશ્રિતો ને થતો અન્યાય દૂર કરવાની ઉગ્ર માંગ કરાઈ છે.