![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/10/Rakhewal-80.jpg)
આપણે આપણી ભાષા પ્રત્યે ગર્વ કરીએ : પંકજ ત્રિપાઠી
પંકજ ત્રિપાઠી પોતાના દમદાર અભિયન અને જમીન સાથે જાેડાયેલા રહેવાને લીધે ખૂબ જ લોકપ્રિય છે. ગેંગ્સ ઓફ વાસેપુર, ન્યૂટન, બરેલી કી બર્ફી જેવી ફિલ્મોમાં યાદગાર અભિનય કરનાર એક્ટર બોયકોટ ટ્રેંડને અભિવ્યક્તિની સ્વતંત્રતા માને છે. વર્તમાન સમયમાં તેઓ પોતાની વેબ સિરીઝ ક્રિમિનલ જસ્ટિસ-૩ને લીધે ચર્ચામાં છે. તેઓ તાજેતરમાં લખનઉમાં ‘મિર્ઝાપુર-૩’ શૂટિંગ કરવા માટે આવ્યા હતા. તેઓ કહે છે કે જાે રંગમંચ વ્યવસાયિક થઈ ગયા હોત તો ૯૦ ટકા લોકો સિનેમા ગયા ન હોત. લખનઉમાં ‘બરેલી કી બર્ફી’, ગુંજન સક્સેના’ જેવી ફિલ્મોનું શૂટિંગ કરી ચુકેલા અભિનેતા તાજેતરમાં યશ દીક્ષિત સાથે અનેક મુદ્દે ખુલ્લા મને વાતચીત કરી હતી.
એડવોકેટ માધવ મિશ્રાના પાત્ર સાથે મારો એવો જ સંબંધ છે જેવો હું અભિનયના શરૂઆતના દિવસોમાં હતો. અગાઉ અમે અંડરડોગ હતા. તે અભિનય કરી શકશે કે નહીં તે કોઈ વિશ્વાસ કરતાં ન હતા. લોકો પૂછતા હતા કે આ એક દ્રશ્ય છે, તમે બોલી શકશે? જાે તમે લખનૌની કોર્ટ કે નજીકના જિલ્લાઓમાં જાવ તો તમને માધવ મિશ્રા જેવા અનેક વકીલો મળી જશે. આજ સુધી મારે ક્યારેય કોર્ટના ચક્કર કાપવા પડ્યા નથી. ભગવાનન કરે કે કોઈને જવું પડે. જીવનને લગતા પ્રશ્નો જાતે જ ઉકેલો. દરેક જીવનું પોતાનું સ્થાન હોય છે.
જાે તે પોતાનું સ્થાન છોડી દે તો મુશ્કેલીમાં મુકાઈ શકે છે. હું ગ્રાઉન્ડેડ માણસ છું. મને ભાગ્યે જ ગુસ્સો આવે છે. વર્ષમાં એક કે બે વાર જ આવે છે, તે પણ બે-ત્રણ મિનિટ માટે. એકવાર મારી કારને ટક્કર લાગી ગઈ.મને ખૂબ નુકસાન થયું તેમ છતા મે તે ભાઈને બાઈ કહ્યું, થમ્સઅપ આપ્યું અને આગળ જતો રહ્યો કારણ કે હું ઝઘડો કરીને મારો તથા તેનો સમય બગાડવા ઈચ્છતો ન હતો. આધ્યાત્મનો અભ્યાસ કરું છું, સંસારને જાણવા ઈચ્છું છું, જ્યારે તમે આ દિશામાં નિકળી પડો છો તો માલુમ થાય છે કે સંસાર ખૂબ જ વિશાળ છે અને આપણે કેટલા નાના છીએ. રઈના દાણા જેટલા પણ નહીં. જ્યારે આ બાબત અંગે માલુમ થાય છે તો કોઈ ઘમંડ કેવી રીતે કરી શકે છે.
હું અપમાનિત થતો નથી કારણ કે અડધી લડાઈ અહંકારની હોય છે અને અડધી જમીનની. નવા કલાકારો માટે ટ્રાવેલિંગ પણ ખૂબ જ જરૂરી છે. હવે હું કામના કારણે આ રીતે ફરી શકતો નથી. હું મુસાફરી ખૂબ જ મીસ કરું છું. હું પ્રવાસીની જેમ ભારતના દરેક ખૂણે-ખૂણે જવા માંગુ છું. ઘણા સમયથી કેરળ જવાની ઈચ્છા હતી. ઘણા વર્ષો પહેલા ત્યાં ગયો હતો. ચાલવાથી માણસની વિચારશક્તિનો વ્યાપ વધે છે. તેની વિચારસરણી સારી થાય છે અને તે મોટો થાય છે. નવું લેન્ડસ્કેપ, કલ્ચર, ફૂડ, ફીલિંગ આ જ હ્લડ્ઢ વિશે છે. હું મુંબઈમાં માડગાવમાં રહું છું. તેણે પોતાની એક અલગ દુનિયા બનાવી રાખી છે, જેમાં ગામ જીવંત છે. ત્યાં તમને ખાટલા પણ જાેવા મળશે. બે-ત્રણ મહિના પછી હું પણ મારા ગામ પાછો આવું છું.