સરહદી વાવ-સુઈગામનાં સિંચાઈથી વંચિત ૨૨ ગામોને ૮૭.૧૦ કરોડની નવી બ્રાન્ચ કેનાલની કામગીરી કરાશે
બનાસકાંઠા જિલ્લાનાં અંતરિયાળ સુઈગામ અને વાવ વિસ્તારનાં ૨૨ ગામો તેમજ વાવ અને થરાદ તાલુકાનાં ૧૧ ગામોને સિંચાઈ માટે પાણી નહિ મળતું હોવાને કારણે ખેડૂતો સિંચાઈથી વંચિત રહેતા હોવાની રજૂઆત પૂર્વ મંત્રી અને બનાસ ડેરીનાં ચેરમેન શંકરભાઈ ચૌધરી અને વાવ ધારાસભ્ય,અને જીલ્લા સાંસદ પરબતભાઈ પટેલે કરી હતી.આખરે રાજ્ય સરકારનાં નર્મદા નિગમ સરદાર સરોવર વિભાગ દ્વારા ગત ફેબ્રુઆરી માસમાં સુઈગામ-વાવ રૂ.૮૭.૧૦ કરોડનાં ખર્ચે બ્રાન્ચ કેનાલ બનશે તો વળી વાવ-થરાદનાં ૧૧ જેટલાં છુટાછવાયા ગામોને પણ રૂ.નવી કેનાલ બનશે જેની વહીવટી મંજૂરી અને ટેન્ડર બાદ વર્ક ઓર્ડર આપવામાં આવતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે.ટૂંક સમયમાં જ કામગીરીઓ શરૂ કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાનાં સરહદી વાવ,થરાદ અને સુઈગામ સહિત ભાભર પંથક મુખ્યત્વે ખેતી અને પશુપાલન આધારિત હોઈ ખેતી મુખ્ય વ્યવસાય છે.તો વળી છેલ્લાં એક દસકાથી ખેતીમાં અનેક ફેરફારો થકી ખેડૂતો અત્યાધુનિક ખેતી તરફ વળ્યાં છે.તો વળી અનેક જગ્યાએ સિંચાઈ માટેનું પાણી મળતું નથી.ત્યારે ખેડૂતોની અનેક રજુઆત અને પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરીની અને વાવનાં ધારાસભ્યની મહેનત રંગ લાવી છે.રાજ્ય સરકારનાં નર્મદા નિગમ સરદાર સરોવર દ્વારા થરાદ વાવ અને સુઈગામ તાલુકાનાં કુલ ૩૩ જેટલાં ગામોને સિંચાઈ માટે અનકમાન્ડ વિસ્તારમાં આવતાં વિસ્તારમાં નવીન બ્રાન્ચ કેનાલ બનાવવાની કામગીરીઓ શરૂ કરવામાં આવશે.જેથી અનેક ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહેશે.તો વળી વાવ,થરાદ વિસ્તારનાં ગડસીસર અને ઢીમા બ્રાન્ચ કેનાલની આજુબાજુનાં વાવ અને થરાદ તાલુકાનાં ૧૧ ગામડાઓને નવી કેનાલ થકી સિંચાઈ માટેનું પાણી મળશે.