અંબાજી ૧૦૮ની ટીમે ડુંગર ચડીને પ્રસુતાની નોર્મલ ડિલિવરી કરાવી

બનાસકાંઠા
બનાસકાંઠા

(રખેવાળ ન્યૂઝ)પાલનપુર, અંબાજી ૧૦૮ ની ટીમે ડુંગર પર અડધો કિલોમીટર ચાલીને એક મહિલાની પ્રસુતિ કરાવી માતા તેમજ નવજાતની જિંદગી બચાવી છે. ડુંગર વિસ્તારમાં રહેતી મહિલાને પ્રસૂતાની પીડા ઉપડતા તેઓએ ૧૦૮ ને કોલ કરતા ૧૦૮ ની વાન ડુંગર પર જઈ શકે તેમ ન હોય ટીમ પગપાળા ચાલીને મહિલાની પ્રસુતિ કરાવી હતી.

અંબાજી ૧૦૮ ને ગત તા ૩૦ સપ્ટેબર ના રોજ વહેલી સવારે રાણપુર આંબા ગામમાં ડિલિવરીનો કોલ મળતા ૧૦૮ ઇએમટી અલ્કાબેન, પાઇલોટ સંજય ભાઈ સાથે તુરંત ઘટના સ્થળે જવા રવાના થયા હતા. જ્યા પહોંચતા ખરાબ રસ્તાને વાન થી દર્દી સુધી પહોંચી શકે તેમ ન હોઈ ૧૦૮ ની ટીમ જરૂરી સાધનો તથા ડિલિવરી કીટ સાથે ડુંગર ઉપર અડધો કિલોમીટર ચાલીને સગર્ભા મહીલા સુધી પહોંચી ૧૦૮ અમદાવાદ હેડ ઑફિસના તબીબ ની સૂચના મુજબ સ્થળ પર સફળ પ્રસુતી કરાવી હતી અને અને નવજાત બાળક અને માતાને નવ જીવન આપ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.