![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/06/SHREE-SHANT-BHAJJI.jpg)
હરભજને મને થપ્પડ મારવા માટે સજા ન આપવા હું ગણો કરગર્યો હતોઃ શ્રીસંતે
વડોદરા,
ભારતનાં ટોચનાં સ્પનર્સમાં સામેલ હરભજન સિંહ માટે વર્ષ ૨૦૦૮ ઘણું વિવાદોવાળુ. પહેલા આૅસ્ટ્રેલિયા પ્રવાસમાં એન્ડ› સાયમન્ડ્સની સાથે ‘મંકીગેટ’ વિવાદમાં સપડાયો અને ત્યારબાદ ઇન્ડયન પ્રીમિયર લીગની પહેલી સીઝનનાં આ મુકાબલમાં મુંબઈ ઇન્ડયન્સને કિંગ્સ ઇલેવન પંજાબનાં હાથે હારનો સામનો કરવો પડ્યો. શ્રીસંત પંજાબની ટીમનો ભાગ હતો અને હરભજન મુંબઈ ઇન્ડયન્સની ટીમનો ભાગ હતો. હાર બાદ શ્રીસંતે હરભજનને આના પર કંઇક ત્યારબાદ ભજ્જીએ ગુસ્સામાં શ્રીસંતને થપ્પડ મારી દીધી હતી. હરભજનને આ થપ્પડ ઘણી ભારે પડી અને તેને લીગની બાકીની મેચોમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. તેમને તેમની ફી ૩.૭૫ કરોડ રૂપિયા પણ નહોતા મળ્યા. શ્રીસંતે હાલમાં જ જણાવ્યું કે આખરે હરભજનને શું હતુ? શ્રીસંતે કે તેણે હરભજનને ‘પંજાબ બામ્બેને હરાવશે, પંજાબ બામ્બેને હરાવશે’હતુ. તેણે એ પણ જણાવ્યું કે તે બીસીસીઆઈ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા કમિશનર સુધીન્દ્ર નાનાવટીની સામે રડ્યો હતો અને કરગર્યો હતો કે તેઓ હરભજનને સજા ના આપે. શ્રીસંતે ક્રિકેટ એડિક્ટરની સાથે વાતચીતમાં કે, “સચિન પાજીનાં કારણે બધું ઉકેલાઈ ગયું હતુ. તેમણે હતુ કે તમે બંને એક જ ટીમ તરફથી રમો છો. મે બધુ બરાબર છે. હું જઇશ અને તેમને મળીશ. અમે મળ્યા અને એ રાત્રે સાથે ડિનર કર્યું, પરંતુ મીડિયા આને અલગ જ સ્તર પર લઇ ગયું. સંતે કે, નાનાવટી સરની સામે પણ, તેમની પાસે આની વિડીયો રેકા‹ડગ્સ હશે અથવા નહીં જ્યાં હું તેમની સામે રડી રહ્યો છું અને કરગરી રહ્યો છું કે ભજ્જી પાને બેન ના કરે અથવા કોઈ બીજી એક્શન લે, અમે સાથે રમવાના છીએ. હું તેમને કોઈ નુકસાન પહોંચાડવા નથી ઇચ્છતો કેમકે તેઓ એક મેચ વિનર છે. હું ભજ્જી પા સાથે મેચ જીતવા ઇચ્છુ છું, કેમકે હું તેમને મારા મોટાભાઈ માનું છું. આનો એક વિડીયો પણ છે. મને નથી ખબર કે તેઓ તમને આ આપશે કે નહીં. તમે નાનાવટી સરને પુછી શકો છો.
Tags sports