![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/09/Rakhewal-399.jpg)
મહેસાણામાં રોડ પર ક્રેન ચાલકે રાહદારીને અડફેટે લીધો, ઘટનાસ્થળે જ મોત
મહેસાણા જિલ્લામાં માર્ગ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ગોઝારીયા-ગાંધીનગર રોડ પર ચાલીને જઈ રહેલા એક પરુષને ક્રેન ચાલકે હડફેટે લઇ કચડી નાખ્યો હતો. જેથી તેનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર મામલે લાઘણજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
ગોઝારીયા-ગાંધીનગર રોડ પર કોઈ અજાણ્યો 40 વર્ષીય પુરુષ ચાલીને જઇ રહ્યો હતો. તે દરમિયાન એક રેસ્ટોરન્ટ નજીક (GJ 2AV 0794) નંબરની ક્રેનના ચાલકે પોતાની ક્રેન પૂરઝડપે ચલાવી રોડ પર જઈ રહેલા રાહદારીને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં અજાણ્યા પુરૂષનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે પોલીસે ક્રેનના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.