યાત્રાધામ ઢીમા ખાતે અર્બુદા સેનાનું સંમેલન યોજાયું

બનાસકાંઠા
બનાસકાંઠા

(રખેવાળ ન્યૂઝ)વાવ, ગતરોજ વાવના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમા ખાતે અર્બુદા સેના દ્વારા ઉત્તર ગુજરાતનું સંમેલન યોજાયું હતું. જેમાં પાટણ, બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી જેવા વિવિધ જિલ્લાઓમાંથી અંદાજે ૨૦ હજાર લોકો હાજર રહી પૂર્વ ગૃહમંત્રી વિપુલભાઈ ચૌધરીને મુક્ત કરવાની માંગ કરાઈ હતી. જાેકે અર્બુદા સેનાના મહા સંમેલનમાં વાવ, થરાદ, સુઇગામ, ભાભર વિસ્તારના ચૌધરી સમાજ અને અર્બુદા સેનાના કાર્યકરોની હાજરી ઓછી જાેવા મળી હતી.

મોટાભાગે બહારના જીલ્લાના કાર્યકરો જાેવા મળ્યા હતા. વધુમાં વાવ થરાદ કે બનાસકાંઠાના કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતા કે કાર્યકર જાેવા મળ્યા નહતા. સવારે દશ વાગે શરૂ થયેલ સંમેલન ૧ વાગ્યા સુધી ચાલુ રહ્યું હતું. જેમાં વિપુલભાઈ ચૌધરીને મુક્ત કરવાની માંગ સાથે રાજ્ય સરકાર ઉપર પ્રહાર કરવામાં આવ્યા હતા.વધુમાં જણાવાયું હતું કે વિપુલભાઈ ચૌધરીને જેલ મુક્ત કરવામાં નહિ આવે તો અદોલન ઉગ્ર બનશે.

આ ઉપરાંત આવતીકાલે સાબરકાંઠાના ભીલોડા ખાતે અર્બુદા સેનાનું સમલેન યોજાવાની જાહેરાત કરવામાં આવી હતી. જાેકે સ્થાનિક નેતાઓ અને સ્થાનિક કાર્યકરોની ગેરહાજરીને લઈ આ સંમેલનથી આગામી સમયમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને કોઈ અસર થાય તેવું કઈ જાેવા મળ્યું નહતું. માત્ર વિપુલભાઈ ચૌધરીને મુક્ત કરવાનું રટણ કરાયું હતું. જાેકે, સંમેલનને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.