વાવ થી બીયોક રોડ પર 15 કિં.મી ના અંતરે કોટરવાડા ની મુખ્ય કેનાલ પસાર થઈ રહી છે. જે કેનાલનું પાણી થરાદ થઈ વાયા રાજસ્થાન પહોચી રહ્યું છે. ત્યારે મેઘ તાંડવઃ ને લઈ બે દિવસ અગાઉ કેનાલની બાજુનો સર્વિસ રોડ પાણીના લીધે ધોવાઈ જતાં બાજુમાં 50 ફૂટ થી ઊંડું ગાબડું કેનાલ માટે ખતરા રૂપ ભય જનક બની ગયું છે. જો આ ગાબડું કેનાલ તોડી કેનાલ વચ્ચે ગાબડું વધુ મોટું થઈ જાય તો નર્મદા ની મુખ્ય કેનાલ નું પાણી વાવ તાલુકાના ગામો માટે ખતરા રૂપ સાબિત થઈ શકે છે. જે પૂર્વ નર્મદા વિભાગના અધિકારીઓ સ્થળનું જાત નિરીક્ષણ કરાવી આ 50 ફૂટ ઊંડા ગાબડાનું પુરાણ કરાવે તેવી આ વિસ્તારના લોકોની તેમજ ખેડૂતો ની ઉગ્ર માંગ છે. હાલ માં આ માર્ગ પર થી પસાર થતા રાહદરી ઓ તેમજ વાહન ચાલકો માટે બંધ કરવો હિતાવહ છે આ ગાબડું મોટી હોનારત સર્જી શકે છે.
- September 14, 2025
0
169
Less than a minute
You can share this post!
editor

