સુરેન્દ્રનગર જિલ્લામાં જન્માષ્ટમીના તહેવારોમાં મેઘ મહેર રહી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ જ જિલ્લામાં 2 દિવસ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વરસાદી વાતાવરણ વચ્ચે મુળીમાં વીજળી પડતા 48 બકરાઓના મોત થયા હતા. સમગ્ર રાજયમાં જન્માષ્ટમીના તહેવારોમાં વરસાદની આગાહી હતી. મુળીમાં વરસાદ સાથે વીજળી પણ વેરણ બની હતી. અને વીજળી પડતા માલધારીઓના 48 બકરાના મોત થયા છે. બીજી તરફ જિલ્લામાં સૌથી વધુ વરસાદ થાન પંથકમાં 99 મીમી એટલે કે, 4 ઈંચ જેટલો વરસ્યો છે. આ ઉપરાંત ચુડામાં 89 મીમી, દસાડામાં 67, લીંબડીમાં 63, ચોટીલામાં 35, સાયલામાં 44 મીમી વરસાદી પાણી પડયુ હતું. હજુ આગામી દિવસોમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.
- August 18, 2025
0
236
Less than a minute
You can share this post!
editor
Related Articles
ભાવનગર જિલ્લામાં વિવિધ ૧૨ ‘સુધારણા જૂથ પાણી યોજના’…
- February 25, 2026
૧૧ જેટલા ગામોના ૧૮ હજારથી વધુ લોકોને જિલ્લા-તાલુકા…
- February 24, 2026

