અમેરિકામાં ભારતીય રાજદૂતને શીખ અલગતાવાદી ગુરપતવંત સિંહ પન્નુએ ધમકી આપી છે. તેના પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું છે કે અમે આ ધમકીઓને ખૂબ ગંભીરતાથી લઈએ છીએ. શીખ અલગતાવાદી અને ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ દ્વારા યુએસમાં ભારતીય રાજદૂત વિનય મોહન ક્વાત્રાને આપવામાં આવેલી ધમકીઓ પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, ‘અમે આ ધમકીઓને ખૂબ જ ગંભીરતાથી લઈએ છીએ અને અમે તેને અમેરિકી સરકાર સમક્ષ ઉઠાવીએ છીએ. આ મામલે પણ અમે અમેરિકી સરકાર સમક્ષ રજૂઆત કરી છે અને અમે આશા રાખીએ છીએ કે અમેરિકી સરકાર અમારી સુરક્ષાની ચિંતાઓને ગંભીરતાથી લેશે.

- December 21, 2024
0 90 Less than a minute
You can share this post!
editor