(જી.એન.એસ) તા. 20
કચ્છ,
કચ્છ જિલ્લામાં સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત કેટલાં નાગરિકોને લાભ આપવામાં આવ્યો છે તે સંદર્ભમાં જવાબ આપતા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકોને ઘર આંગણે સરકારી સેવાઓ મળી રહે તેવા ઉમદા હેતુથી સેવાસેતુ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં સેવાસેતુ કાર્યક્રમના કુલ ૧૦ તબક્કા યોજાયા છે. જેમાં કચ્છ જિલ્લામાં ૯,૪૧,૮૪૮ લાભાર્થીઓએ આ સેવાઓનો લાભ લીધો છે.
સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત નાગરિકોને આપવામાં આવતી સેવાઓ વિશે પૂછેલા પેટા પ્રશ્નનોના ઉત્તરમાં મંત્રી શ્રી પટેલે ઉમેર્યું હતું કે, સેવાસેતુ કાર્યક્રમમાં સામાન્ય વહિવટ વિભાગ, નાણા વિભાગ, મહેસૂલ વિભાગ, શ્રમ અને રોજગાર વિભાગ તથા અન્ય વિભાગોની કુલ ૫૫ સેવાઓનો લાભ લાભાર્થીઓને સ્થળ પર જ આપવામાં આવે છે.
સેવાસેતુ કાર્યક્રમમાં પ્રજાની આવકના દાખલા, રાશન કાર્ડ, આધાર કાર્ડ, વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર, દિવ્યાંગતા પ્રમાણપત્ર, વિધવા સહાય યોજના, વૃધ્ધ નિરાધાર સહાય યોજના, લર્નીંગ લાયસન્સ, સાતબાર/આઠ-અના પ્રમાણપત્રો, નવું બેંક એકાઉન્ટ ખોલાવવું, દિવ્યાંગતા પ્રમાણપત્ર, પી.એમ.જેમાં અરજી,લગ્ન નોંધણી પ્રમાણપત્ર અને સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.