અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરીયા પરિસર ખાતે જયા પાર્વતી વ્રતના જાગરણ નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરીયા પરિસર ખાતે જયા પાર્વતી વ્રતના જાગરણ નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું


(જી.એન.એસ) તા. 13

અમદાવાદ,

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું આયોજન અને અમલીકરણ કરવામાં આવે છે. તેમજ વિવિધ તહેવારો નિમિતે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવતા હોય છે…જે અંતર્ગત તા.૧૨/૦૭/૨૦૨૫ ના રોજ કાંકરીયા પરિસર ખાતે જયા પાર્વતી વ્રતના જાગરણ નિમિત્તે કાંકરીયા પરિસર રાત્રે ૦૩ વાગ્યા સુધી ખુલ્લું રાખી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જયા પાર્વતીના જાગરણમાં 20,000થી વધુ વ્રત કરનાર મહિલાઓએ તેમના બાળકો/પરિવાર સાથે કાંકરીયાની મુલાકાત લઇ ગરબા, સાંસ્કૃતિક કાર્યક્રમ અને કાંકરીયાના અન્ય આકર્ષણોનો આનંદ માણ્યો હતો.

આ પ્રસંગે માન. મેયરશ્રી પ્રતિભાબેન જૈન તેમજ રિક્રિએશન કમિટીના ચેરમેનશ્રી જયેશભાઇ ત્રિવેદી, મહિલા અને બાળ વિકાસના ચેરપર્સનશ્રી પુષ્પાબેન મિસ્ત્રી,રિક્રિએશન કમિટીના ડે.ચેરપર્સનશ્રી સ્નેહાકુમારી પરમાર અન્ય મહાનુભાવો તેમજ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેલ હતા. કાંકરિયા પરિસર ખાતે યોજાયેલ સદર કાર્યક્રમ મનોરંજન અને આંનદમયી બની રહ્યો હતો.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *